ગુજરાત
News of Monday, 30th November 2020

ગાજરગોટા ગામની નવીનગરીમાં રાત્રીના અંધારા નીકળેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાતા હાશકારો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામની નવીનગરીમાં હમણાં જ રાત્રીના સમયે એક મહાકાય અજગર દેખા દેતા સ્થાનિકોના જીવ તાળવે ચોટયા હતા જોકે ત્યાં રહેતા રામસિંગભાઈ વસાવાએ ટેલિફોનિક જાણ કરતા જીવદયા પ્રેમી ભાવિન ભાઈ ત્યાં રાત્રીના અંધારામાં પણ દોડી જઈને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો .આમ પણ આ જીવદયા પ્રેમી દરરોજ ડેડીયાપાડા તાલુકાના ગામડાઓ માંથી સાપને પકડવા કોલ આવતા જ પોતે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે.અને આજે પણ રાત્રીના સમયે આ અજગર નીકળતા તેમણે તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું.

(6:08 pm IST)