News of Monday, 30th November 2020
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.31 લાખની મતાની તસ્કરી કરી
વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શાસ્ત્રી પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ પટેલ સેલ્સ માર્કેટિંગનો વ્યવસાય કરે છે. દરમિયાન તેઓ ઘરને તાળું મારીને સંબંધીના ઘરે દુઃખદ પ્રસંગમાં ગયા હતા દરમિયાન 27 નવેમ્બરના રોજ તેઓના ઘરમાં ચોરી થઇ હોવાની પાડોશીએ જાણ કરી હતી.
જેથી તેઓ ઘરે પરત આવી તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો મંદિર તેમજ તિજોરીમાંથી સોનાની બુટ્ટી, ચૂડી, બંગડી, અછોડો, સિકો, મંગળસૂત્ર તેમજ ચાંદીનો જુડો, સિક્કા, કંકાવતી, ગ્લાસ, વાડકી, સેર અને રોકડા રૂપિયા 25000ની મતા ચોરી નાસી છૂટયા હોવાનો બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
(5:17 pm IST)