News of Monday, 30th November 2020
ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ-બહેનોને સોમવારે ઉજવનારા ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે.
(6:08 pm IST)