ગુજરાત
News of Friday, 30th October 2020

સુરતના બેગમપુરામાં 50 વર્ષીય આધેડે પહેલા માળેથી છલાંગ લગાવતા ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત: શહેરના બેગમપુરામાં ખાડકુવા પાસે પંચમુખી હનુમાનના મંદિર નજીક આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય ધર્મેશભાઈ મોહનલાલ મોદી ગુરુવારે વહેલી સવારે ઘરના પહેલા માળેથી નીચે કુદી પડતા ગંભીર ઇજા થઇ હતી. 108ને જાણ કરતાં તરત એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેના કર્મચારીએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે કહ્યું હતું કે, ધર્મેશભાઈ કુરિયરનું કામ કરતા હતા જોકે લોક ડાઉન બાદ તેમનો પગાર અડધો થઈ ગયો હતો. સાથે તેમને નાનપણથી સોરીયાસીસની બીમારીથી પીડાતા હતા. આવા સંજોગોમાં તે માનસિક તાણ અનુભવતા હોવાથી પગલું ભર્યું હતું અંગે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)