અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નંબર 48 નજીક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી
ફાયરની 3 ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ભરૂચઃ અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નંબર 48 ને નજીક આવેલા ન્યુ ઈન્ડિયા માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને નજીક ન્યુ ઈન્ડિયા માર્કેટ આવેલુ છે. જેમાં ઢગલે બંધ ભંગારના ગોડાઉન આવેલા છે. આજ સવારે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેંશન મેનેજમેંટ સેન્ટર – DPMCની 4 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.