News of Monday, 30th September 2019
મુખ્યમંત્રી રૂપાણીએ ત્રિશુલિયા ઘાટ પાસેના અકસ્માત અંગે કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી : મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી
ઇજા પામેલા વ્યક્તિઓ ને તાત્કાલિક યોગ્ય સારવાર નો પ્રબંધ કરવા સૂચના આપી
અમદાવાદ : મુખ્મંત્રી વિજયભાઈ ભાઈ રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી છે.
તેમણે આ અકસ્માતમાં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને દિલસોજી પાઠવી છે.
મુખ્યમંત્રીએ આ અકસ્માત માં ઇજા પામેલા વ્યક્તિઓ ને તાત્કાલિક યોગ્ય સારવાર નો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે
(9:21 pm IST)