કપડવંજ તાલુકાના મોટી ઝેરમાં ઝાડ પર વીજળી પડતા નીચે બેઠેલ ચાર ગોવાળિયા પૈકી એકનું મોત નિપજતા અરેરાટી
કપડવંજ: તાલુકાના મોટીઝેર ગામે લીમડાના ઝાડ પર વીજળી પડતાં તેની નીચે બેઠેલા ચાર ગોવાળીયા ઘવાયા હતા જે પૈકી એકનું મોત થયું હતુ જ્યારે ત્રણને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બારેક વાગ્યાના સુમારે કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે ગોચરમાં ૪ જેટલા ભરવાડો ઘેટાં બકરાં ચરાવી રહ્યા હતા, ત્યારે જોરદાર વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેથી વરસાદથી બચાવ આ ચારેય મીત્રો લીમડાના ઝાડ નીચે ઉભા રહ્યા હતા. એટલામાં જ આકાશમાંથી વીજળી પડી હતી. જેમાં લાલાભાઇ વસ્તાભાઇ ભરવાડ (ઉ.વ.૨૨)નું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતુ. જ્યારે કરસનભાઇ ચકાભાઇ, રાજાભાઇ ભરવાડ અને લાલાબાઇ બાબુભાઇ ભરવાડનાઓ વીજળી પડવાથી દાજી જતા તેમને ૧૦૮ મારફતે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા.