વડોદરા:આજવારોડ સહીત મકરપુરા વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા 15 જુગારીઓને પોલીસે ઝડપી 29 હજારથી વધુની મતા જપ્ત કરી
વડોદરા: આજવારોડ ચાચા નહેરૃનગરમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા બાપોદ પોલીસે ઉપરોક્ત સ્થળ રેડ પાડી હતી.પોલીસે રાતે સવા બાર વાગ્યે સ્થળ પરથી આઠ જુગારીઓને રૃપિયા ૧૯,૦૫૦ ની મત્તા સાથે ઝડપી પાડયા હતા.જેમાં (૧)દિપક નથ્થુજી પંચાલ (૨) બિલેન્દ્ર અગસ્તભાઇ પાંડે (૩) રામનિવાસ નથ્થુજી પંચાલ (૪)કિરણ ઘનશ્યામભાઇ(૫) રામકરણ નથ્થુજી પંચાલ (૬) રાકેશ ઘનશ્યામભાઇ (૭)પપ્પુસીંગ સાધુસીંગ સીંગ અને (૮)કેશવ નગીનભાઇ શીર્ષાદ (તમામ રહે.ચાચા નહેરૃનગર,આજવારોડ) નો સમાવેશ થાય છે.
જેથી,મકરપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો.પોલીસે સ્થળ પરથી સાત જુગારીઓને ૧૦,૪૦૦ રૃપિયાની મત્તા સાથે ઝડપી પાડયા હતા.પકડાયેલા જુગારીઓમાં (૧) અલ્પેશ રામદેવભાઇ માછી (૨) મુકેશ સોમાભાઇ માછી (૩) તરૃણ જીવણકુમાર માછી (તમામ રહે.શ્રીજીનગર,મકરપુરા)(૪) સરફરાજ મુનીરભાઇ શેખ (રહે.રામનગર, મકરપુરા)(૫)મલ્કેશ જગદીશભાઇ મિસ્ત્રી (૬) અશોક નાનુભાઇ માછી અને (૭) અજય ભીખાભાઇ માછી (તમામ રહે.ઇન્દિરા નગર,મકરપુરા ડેપોની પાછળ) નો સમાવેશ થાય છે.