News of Friday, 30th July 2021
31મી જુલાઈ એ રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં સવારે 7.00 થી 9.30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના ઈજનેરના જણાવ્યા મુજબ આવતીકાલ તા.31 જુલાઈના રોજ રાજપીપળા શહેરના અમુક વિસ્તારમાં સવારે 7.00 થી 9.30 કલાક સુધી જનરલ મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે
વીજ પુરવઠો શહેરના રોયલ સનસીટી,ગાંધી ચોક, હરસિધ્ધિ માતા,સંતોષ ચાર રસ્તા,ટાઉન હોલ,ટેકરા ફળીયા અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં આ દિવસે સવારે 7.00 થી 9.30 ના સમયગાળા માં બંધ રાખવામાં આવશે.
(11:53 pm IST)