ગુજરાત
News of Friday, 30th July 2021

ગુજરાતમાં 75.03 ટકા વસતિમાં કોરોનાના એન્ટીબોડી જનરેટ થયા

ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરાયેલ સીરોપ્રેવલન્સ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હી :  કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં કોરોનાના પરિપ્રેક્ષ્‍યમાં સારા કહી શકાય તેવા સમાચાર છે. ઈન્ડીયન કાઉન્સિલઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા સીરોપ્રેવલન્સ સર્વેમાં ગુજરાતમાં 75.03 ટકા વસતિમાં કોરોનાના એન્ટીબોડી જનરેટ થયેલા જાણવા મળ્યા છે. જેનો અર્થ એ કે, આટલા પ્રમાણમાં લોકોમાં કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ હોવાની શક્યતા છે.

(12:49 pm IST)