ગુજરાત
News of Monday, 30th July 2018

વડોદરાના ૩ યુવકોના પાવાગઢ નજીક વડા તળાવમાં ડુબી જવાથી મોત

પંચમહાલઃ વડોદરાના ત્રણ મિત્રો સોમવારે ફરવા માટે પાવાગઢ ગયા હતા. આ યુવકો શહેરના સલાડવાડા વિસ્તારના છે તેમ જાણવા મળ્યું છે. પાવાગઢ પહોંચ્યા બાદ ત્રણેય મિત્રો ળાવમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક મિત્ર પાણીમાં ડૂબી ગયો અને તેને બચાવવા જતા બીજા બંન્ને પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા અને ત્રણેયના મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ જવાનોએ ત્રણેય મિત્રોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. 

આ ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

(6:27 pm IST)