ગુજરાત
News of Thursday, 30th June 2022

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળામાં પોલીસ સ્ટેશનમાં લઘુમતીના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી

આવતીકાલે રાજપીપળામાં નિકળનારી રથયાત્રા સંદર્ભે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી તેમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વડાએ હાજર સમાજના આગેવાનોને ભાઈચારા અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એ માટે ખાસ સૂચન કર્યું હતું બેઠકમાં પોલીસ વડા સાથે ડીવાયએસપી મોદી,એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ,એસ. ઓ.જી પીઆઈ કે. ડી જાટ ટાઉન પીઆઈ જે.કે.પટેલ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો

 

(10:24 pm IST)