ગુજરાત
News of Thursday, 30th June 2022

પાવાગઢના મહાકાળી મંદિરમાં વરસાદી માહોલ વચ્‍ચે લાઇટ ડેકોરેશન અને કુદરતી ધુમ્‍મસ સર્જાતા મનમોહક નજારો

મંદિરનો વિકાસ થતા અને શણગારના નયનરમ્‍ય દ્રશ્‍યોનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

પંચમહાલઃ પાવાગઢના મહાકાળી મંદિરનું નવીનીકરણ અને વિકાસ થતા વરસાદી માહોલના વાતાવરણમાં ડુંગર પરના મંદિર પરનું દ્રશ્‍ય મનમોહક બન્‍યુ છે. પરિસરમાં રાત્રી દરમિયાન લાઇટ અને કુદરતી ધુમ્‍મસ ભેગા થતા આહલાદક નજારો જોવા મળે છે. વિકાસના કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે.

સુપસિદ્ધ યાત્રાધામ તેમજ 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાતી પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની મા કાળીના દર્શાનાર્થે માઈ ભક્તો હંમેશાં આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે પાવાગઢ ખાતે વિકાસના કાર્યોની એક ઝાંખી દર્શાવતો વિડિયો સામે આવ્યો હતો. ત્યારે વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગર પરનું દ્રશ્ય મનમોહક બને છે, ત્યારે હાલ યાત્રાધામ પાવાગઢનો અદ્ભૂત નજારાનો એક વીડિયો સામે આવ્યો છે.

યાત્રાધામ પાવાગઢના અદ્ભૂત નજારાના આ વીડિયોમાં મંદિર નવીનીકરણ બાદનો રાત્રિ દરમ્યાનનો અતિ ભવ્ય નજારો કહી શકાય તેવો વીડિયો છે. જેમાં પાવાગઢ મંદીર પરિસર સ્વર્ગ સમાન અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં રાત્રી દરમ્યાન કરેલ લાઈટ અને કુદરતી ધૂમ્મસ ભેગા થતા નજારો એકદમ આહ્લાદક લાગી રહ્યો છે. જાણે ધરતી પર સ્વર્ગ હોય એ પ્રકારનો આભાસ કરાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વીડિયોને કેટલાક મંત્રી અને નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ગત 18 જૂનના રોજ પીએમ મોદી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને તેમણે ધ્વજારોહણ કર્યું હતું. PM મોદીના આગમન પૂર્વે સાંજના લાઇટિંગના દ્રશ્યોનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલા દેખાતું પાવાગઢ આજે વિકાસથી ભરપુર નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળે છે.  લોકોને પડતી અગવડને કારણે વિકાસના કાર્યો થયા બાદ આજે લોકો સહેલાઈથી દર્શન કરી રહ્યા છે.

(4:47 pm IST)