ગુજરાત
News of Tuesday, 30th June 2020

નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત દરદીઓને રજા અપાઈ

સોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી:હાલમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારારાજપીપળા : COVID-19 મહા મારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તરફથી આજે તા. ૨૯ મી જુન, ૨૦૨૦ના રોજ સાંજે :૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ-૧૯નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી સાત દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દરદીઓને રજા અપાતા આજની સ્થિતિએ કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.તેમજ કોરોના વાયરસ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

(11:54 pm IST)