ગુજરાત
News of Tuesday, 30th June 2020

સુરતમાં વધતો કોરોનાનો કહેર :વધુ એક નિવૃત IS એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરાઈ

એસ.કે.લાંગા ગયા ઓગષ્ટ મહિનામાં ગાંધીનગર કલેક્ટરપદેથી નિવૃત થયા હતા

 

ગાંધીનગર:સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી છે. સરકારે 4 દિવસ પહેલા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂક આપી હતી. ત્યારબાદ આજે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરી છે.

અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સુરતમાં કોરોનાના કેસો વધવાના કારણે સરકારે નિવૃત સનદી અધિકારીઓને પુન:નિયુક્તિ કરી રહી છે. સરકારે ગયા ગુરુવારે બીપી મચ્છાર અને આર.જે.માકડિયાની સુરત મહાનગરપાલિકમાં OSD તરીકે નિમણૂંક કરી. હવે બે નિમણૂકના 4 દિવસ બાદ રાજય સરકારે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગા પુન:વરણી કરી છે. નિવૃત સનદી અધિકારી એસ.કે.લાંગા ગયા ઓગષ્ટ મહિનામાં ગાંધીનગર કલેક્ટરપદેથી નિવૃત થયા હતા

(11:30 pm IST)