દાહોદના ખેંગમાં લગ્નના ચાર વર્ષમાં પત્નીએ આત્મહત્યા કરી
દાહોદ: તાલુકાના ખેંગ ગામે રહેતા જગદીશ ચેનાભાઇ પાલે પોલીસને જણાવ્યું હતું કે,મારી નાની બહેન સરલા (ઉ.વ.૨૨)ના લગ્ન તા.૨૪-૩-૨૦૧૪ના રોજ વડોદરામાં છાણી જકાતનાકા વિસ્તારમાં મહર્ષિ શોપિંગ સેન્ટરમાં રહેતા અને અમરકારમાં ફરજ બજાવતા મહેશ દેવાભાઇ નલવાયા સાથે થયા હતા. મહેશ અને સરલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્લેશ ચાલતો હતો અને તેની પાછળ એક યુવતી કારણભૂત હતી.સરલાને મહેશનું આ યુવતી સાથે ચક્કર ચાલતું હોવાની શંકા હતી અને તેની પાસે યુવતીની નજીકમાં મહેશે પડાવેલા ફોટા પણ હતા. તા.૨૮મીએ બપોરે જગદીશ અને સરલા વચ્ચે વાત થઇ હતી અને ત્યારબાદ સરલાએ પોતાની વ્યથા સંભળાવતી કેટલીક વોઇસ રેકોર્ડ કરેલી ક્લિપો મોકલી હતી.જગદીશે સરલાને સમજાવી હતી અને તેણે બીજે દિવસે દાહોદ આવીશું તેમ કહ્યું હતું.