ગુજરાત
News of Saturday, 30th June 2018

તારાપુર તાલુકાના ભંડેરજમાં માટી નાખવા બાબતે તકરાર થતા ધારિયાથી જીવલેણ હુમલો

તારાપુર: તાલુકાના ભંડરેજ ગામે ખેતરમાં માટી નાંખવાની બાબતે બે શખ્સોએ તકરાર કરીને એકને કપાળ ઉપર ધારીયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ઘનશ્યામભાઈ ડાહ્યાભાઈ રાઠોડ તથા દિનેશભાઈ ભુપતભાઈ રાઠોડ ગામના જ રાજેન્દ્રભાઈ ફતેસિંગભાઈ રાઠોડના ખેતરમાં માટી નાંખતા હોય આ વાડ અમારા તરફ આવેલ છે તમે માટી કેમ નાંખો છો તેમ કહેતા જ બન્ને જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતાં ઘનશ્યામભાઈએ પોતાના હાથમાનું ધારીયું જમણી આંખ કપાળ ઉપર મારી દીધું હતુ. દિનેશભાઈએ પણ ગાળો બોલીને ઝપાઝપી કરી માર માર્યો હતો. 

(5:27 pm IST)