અમદાવાદમાં કોરોનાના વધુ 253 કેસ સહીત રાજ્યમાં નવા 372 કેસ નોંધાયા:વધુ 20 લોકોના મોત: મૃત્યુઆંક 980 થયો
સુરતમાં નવા 45 કેસ, વડોદરામાં ગાંધીનગરમાં 8 કેસ અને મહેસાણા-છોટાઉદેપુરમાં 7-7 કેસ નોંધાયા : રાજ્યમાં કુલ કેસની સંખ્યા 15,944 : વધુ 608 દર્દીઓ સાજા થયા ; રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 8609 થઇ
અમદાવાદ : રાજ્યમાં કોરોના કેડો મુકતો નથી, રોજ બરોજ કેસની સંખ્યા વધતી જાય છે આજે અમદાવાદમાં કોરોનાના વધુ 253 કેસ સહીત રાજ્યમાં નવા 372 કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 15,944 થઇ છે રાજ્યમાં આજે વધુ 20 દર્દીઓના મોત થયા છે રાજ્યમાં મૃત્યુઆંક 980 થયો છે આજે વધુ 608દર્દીઓ સાજા થયા છે રાજ્યમાં સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 8609 થઇ છે
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 372 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,944 થઇ છે
અમદાવાદમાં સૌથી વધુ 253 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 8,609 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 6287 લોકો સ્ટેબલ છે.
ગુજરાતમાં કોરોના કેસો
અમદાવાદ, તા.૨૯ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૭૨ કેસ સપાટી પર આવ્યા હતા.
શહેર |
કેસ |
અમદાવાદ |
૨૫૩ |
સુરત |
૪૫ |
વડોદરા |
૩૪ |
ગાંધીનગર |
૮ |
મહેસાણા |
૭ |
છોટા ઉદેપુર |
૭ |
કચ્છ |
૪ |
નવસારી |
૨ |
બનાસકાંઠા |
૧ |
રાજકોટ |
૧ |
અરવલ્લી |
૧ |
પંચમહાલ |
૧ |
મહીસાગર |
૧ |
ખેડા |
૧ |
ભરૂચ |
૧ |
સાબરકાંઠા |
૧ |
વલસાડ |
૧ |
જુનાગઢ |
૧ |
સુરેન્દ્રનગર |
૧ |
અન્ય રાજ્ય |
૧ |
કુલ |
૩૭૨ |