ગુજરાત
News of Wednesday, 30th May 2018

સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિ મોતને ભેટ્યા

સાબરકાંઠા:જિલ્લાના પ્રાંતિજ તથા ગાંભોઈ પોલીસ મથકની હદમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહન અકસ્માતના બનેલા બે બનાવોમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં કારના ચાલકનો સમાવેશ થતો હતો. આ બન્ને બનાવોના અનુસંધાનમાં પ્રાંતિજ તથા ગાંભોઈ પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૪(એ) હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ નગર ખાતેની સિવિલ હોસ્પિટલ નજીકથી  પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ રવિવારની મોડીરાત્રીના સુમારે બન્યો હતો. જેમાં બેફામ ઝડપે પસાર થઈ રહ્લે કોઈ વાહનની જોરદાર ટક્કરથી પચાસેક વર્ષની આધેડ સ્ત્રીનું ગંભીર ઈજાઓ થવાથી ત્યાં જ મોત નિપજ્યું હતું. જીવલેણ અકસ્માતના આ બનાવ બાદ અજાણ્યો શખ્સ તેનું વાહન પુરઝડપે હંકારીને ફરાર થઈ ગયો હતો. જ્યારે આ બનાવ અંગે પ્રાંતિજ નગરના જોરાજી કાળાજી વણઝારાની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે નાસી છૂટેલા વાહનચાલકના વિરૃદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવાની કાર્યવાહી શરૃ કરી હતી.

(6:16 pm IST)