નડિયાદની કમળા ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા
નડિયાદ:ની કમળા ચોકડી તેમજ રામના મુવાડા નજીક અક્સ્માત સર્જાયો હતો. જેમાં બેને ઈજા થઈ હતી.પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મંજુપુરામાં રહેતા રમેશભાઈ ધુળાભાઈ ભોઈ ગઈકાલે સવારે રીક્ષા નં.૦૭ વીવી-૮૯૦૬ લઈને કમળા ચોકડી જીઆઈડીસી પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ ટેન્કર નં. જીજે-૯ વાય-૫૯૭૨એ રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રીક્ષા ચાલક રમેશભાઈ ધુળાભાઈ ભોઈને ઈજા થઈ હતી. આ અક્સ્માત સર્જી ટેન્કર ચાલક નાસીગયો હતો. આ બનાવ અંગે રમેશભાઈ ઘૂળાભાઈ ભોઈની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં મહુધા ફીણાવ ભાગોળ રહેતા લીયાકત હુશેન અહેમદમીયાં બીન ફજલમીયાં મલેક અને અલાદમીયાં મલેક ગઈકાલે સાંજે રામના મુવાડા સ્મશાન પાસેથી લારી લઈને ચાલતા જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલ કાર નં. જીજે-૦૭ બીડી-૭૦૪૦એ પાછળથી ટક્કર મારતા અલાદમીયાં ફજલમીયાં મલેકને ડાબા પગના સાથળ ઉપર સખ્ત ઈજા થઈ હતી. જ્યારે માથામાં તેમજ મોઢાં ઉપર ઈજા થઈ હતી. આ અક્સ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો.
આ અંગે લીયાકત હુશેન અહેમદમીયાં મલેકની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.