ગુજરાત
News of Wednesday, 30th May 2018

પુષ્કરના બ્રહ્મા મંદિરના સંત મહાદેવ પુરી પર જીવલેણ હુમલો

ગર્ભગૃહમાં જઈને સંતે જીવ બચાવ્યો : હુમલાખોરને પકડી લઇ પોલીસને હવાલે કર્યો

પુષ્કરના બ્રહ્મા મંદિરમાં તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે એક આધેડ વયનો શખ્સએ તીક્ષ્‍ણ હથિયાર સાથે મંદિરમાં ઘૂસી પુષ્કરના બ્રહ્મા મંદિરના સંત મહાદેવ પુરી પર જીવલેણ હુમલો કર્યો હતો જોકે સંત મહાદેવ પુરીએ કોઇ પણ રીતે ગર્ભગૃહમાં ઘૂસીને પોતાનો જીવ બચાવ્યો હતો. સંતના હાથમાં ઇજા પહોંચી હતી. હુમલાખોર બે મિનિટ સુધી શસ્ત્ર વિંઝતો રહ્યો હતો દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને તેેણે ભગાડી મૂકયા હતા. હુમલાખોરે સંત પર હુમલો કરતાં એવી બૂમો પાડતો હતો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું તમે અપમાન કેમ કર્યું?

  આ દરમિયાન મચી ગયેલી અફરાતફરીમાં સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. હુમલાખોરની ઓળખ સોજતના રહેવાસી અશોક મેઘવાલ તરીકે થઇ હતી.અશોક સ્વયંને એમબીબીએસ ડોકટર હોવાનો દાવો કરી રહ્યો હતો. અશોકે પહેલાં સંત પાસેથી પ્રસાદ લીધો હતો અને બીજા હાથથી તલવાર કાઢીને હુમલો કર્યો હતો. પોલીસે આરોપી પર જીવલણ હુમલો કરવાનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

(8:49 am IST)