ગુજરાત
News of Friday, 30th April 2021

એસીબી વડા કેશવકુમાર નિવૃત્ત: અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એડીંશનલ ચાર્જ સોંપાયો

૧૯૮૭ બેચનાં આઈપીએસ ઓફિસર સંજય શ્રીવાસ્તવ એસીબી વડા બન્યા

અમદાવાદ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનાં વડા તરીકે ૧૯૮૬ બેચના સિનિયર IPS ઓફિસર કેશવકુમાર વય મર્યાદાના કારણે આજે નિવૃત થયા છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડાનો ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનરને  સોંપાયો છે. ૧૯૮૭ બેચનાં આઈપીએસ ઓફિસર સંજય શ્રીવાસ્તવને અમદાવાદ પોલીસ કમિશનર ઉપરાંત ACBનો એડિશનલ ચાર્જ રહેશે.

(7:54 pm IST)