ગુજરાત
News of Monday, 30th March 2020

નડિયાદ તાલુકાના દવાપૂરામાં ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ગળાના ભાગે ધારિયાના ઝટકા મારી હત્યાનો પ્રયાસ કરતા નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

નડિયાદ: તાલુકાના દવાપુરામાં મલેક દંપતી વચ્ચે સાત વર્ષ અગાઉ અણબનાવ બનતાં પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી. જે બાદ ગતરોજ પુત્રએ તેની માતાને ઘરે બોલાવતાં ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીના ગળાના ભાગે ધારીયાના ઝટકાં મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી. અ બનાવ અંગે નડિયાદ રૃરલ પોલીસે ફરીયાદ લઈ મહિલાના પતિ અને દિયર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના દવાપુરામાં મસ્જિદવાળા ફળીયામાં રહેતાં ઈમામમીયાં કાલુમીયાં મલેક અને તેની પત્ની યાસ્મીનબીબી વચ્ચે સાતેક વર્ષ અગાઉ અણબનાવ બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિ ઈમામમીયાંએ પત્ની યાસ્મીનબીબીને ઘરેથી કાઢી મૂકી હતી. જે બાદ યાસ્મીનબીબી નડિયાદમાં એકલી રહેતી હતી. યાસ્મીનબીબીએ અવારનવાર માફી માંગવા છતાં ઈમામમીયાં તેના ભાઈ જાકીરમીયાંની ચઢામણીથી પત્નીને સ્વીકારતાં ન હતાં. યાસ્મીનબીબી ઘરે જાય તો તેનો પતિ માર મારી કાઢી મૂકતો હતો.

(5:44 pm IST)