ગુજરાત
News of Monday, 30th March 2020

અમદાવાદમાં કોરોનાના ૨૩ કેસઃ બે વૃદ્વ દર્દીઓ સાજા થઇ ગયા

અમદાવાદ, તા.૩૦: શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ૨૩ પોઝિટિવ કેસ સામે આવી ચૂકયા છે અને તેમાંથી ત્રણના મોત  પણ થઇ ગયા છે. જો કે હવે રાહતના સમાચાર પણ આવવા લાગ્યા છે. રવિવારે કોરોના વાઇરસની મહિલા દર્દી સ્વસ્થ થઇ જતા તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે વધુ બે દર્દીઓ સ્વસ્થ થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. ૬૨ વર્ષની મહિલા અને ૬૫ વર્ષના વૃદ્વાને રજા આપવામાં આવી છે. બંને દર્દીઓને ૨૦ માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.

(3:57 pm IST)