News of Sunday, 29th November 2020
અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે ગુજરાતથી રાજસ્થાન જતી લકઝરી બસને અકસ્માત: 15 લોકોને નાની મોટી ઈજા
રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા લકઝરી પલ ટી મારી ગઈ : ઘાયલોને 108ની મદદથી પાલનપુર સારવાર માટે ખસેડાયા.
બનાસકાંઠાના અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે ગુજરાતથી રાજસ્થાન જતી લકઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માતમાં લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી થતા મોટી જાનહાની ટળી હતી.
જાણવા મળ્યા મુજબ રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો… લકઝરી પલટાતાં તેમાં સવાર 15 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘાયલોને 108ની મદદથી પાલનપુર સારવાર માટે ખસેડાયા હતા.
(3:57 pm IST)