ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર-દિવાન સમાજના ખજાનચી તરીકે વિરમગામના મહંમદ બાપુની વરણી કરવામાં આવી
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર-દિવાન સમાજના નવા વરણી કરાયેલ પદાધિકારીઓમા વિરમગામના સામાજિક કાર્યકર, પુર્વ પ્રમુખ લઘુમતી મોરચા ભાજપ મોહમ્મદ ફનીફ (સાહીલ બાપુ)ની ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર-દિવાન સમાજના ખજાનચી તરીકે નિમણૂંક કરવામાં આવતા લોકોએ ફોન, રૂબરૂ મળીને તથા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહંમદ બાપુએ જણાવ્યું હતું કે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર-દિવાન સમાજના ખજાનચી તરીકે નિમણૂંક થતાં હું મારી પ્રગતી મા જેમનુ બહુમુલ્ય યોગદાન છે એવા ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર-દિવાન સમાજના પ્રમુખ એ.બી.ફકીર તથા મારા બધા સાથી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને મારા સાથી મિત્રો આવનારા દિવસમા સમાજના વિકાસ માટે અથાગ મહેનત કરી સમાજના સંગઠનને મજબુત કરવા મને સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા.