ગુજરાત
News of Sunday, 29th November 2020

સુરતમાં રાત્રી કર્ફ્યુ છતાં કોરોનાના વધતા કેસને પગલે શનિ-રવિ મોલ બંધ રાખવા નિર્ણંય

શનિ-રવિ મોલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે

અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવાઈ રહ્યો છે. ત્યારે વધતા કેસને લઇને સુરતમાં શનિ – રવિ મોલ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસાર ખાસ કરીને શનિ-રવિ મોલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા જેને લઇને આ મોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નિયમમાં કોઇ ભંગ થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

(1:55 pm IST)