પ્રાંતિજમાં તસ્કરોનો તરખાટ: એક જ રાત્રિમાં તૂટ્યા 4 મકાનના તાળાં : લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરોએકજ રાત્રિમાં4મકાનોના તાળાંતોડીઆશરે 1.10.000કિંમતની રોકડ રકમ તથા5તોલા સોનાના દાગીનાની ચોરીકરી ફરાર થઈ ગયા હતા.
આ અંગેની વિગત મુજબ [પ્રાતિજ નાની ભાગોળ પટેલ વાસ ખાતે ભરચક વિસ્તારમાં રાત્રીના સમયે 4 બંધ મકાનના તાળાં તોડી મકાનમાં પ્રવેશ કરીતસ્કરોએ મકાનની અંદર રહેલ સર સામાન અસ્ત વ્યસ્ત કરીતિજોરીમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી જાણે પ્રાંતિજ પોલીસને ચેલેન્જ આપી હોય તેવું લાગી રહ્યું છે.પટેલ વાસમાં રહેતાં રેન્દ્ર પંડ્યા, ગોરધન પટેલ,રહીબેન પટેલ,નવનીત પટેલ તથાગોપાલભાઇના મકાનમાંથી ચોરી થતાં પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી.પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.