ગુજરાત
News of Tuesday, 29th September 2020

રાજકોટ એ.સી.બી.ના મદદનિશ નિયામક હિંમાશુ દોશી સુ.નગર મુકાયાઃ રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામકપદે જામનગરના એ. પી. જાડેજાને પોસ્‍ટીંગઃ જામનગરમાં એ. પી. જાડેજાના સ્‍થાને ડાયરેકટ આઇ.પી.એસ. અધિકારીની પસંદગીઃ સતાવાર ઓર્ડરની રાહ જોવાય છેઃ રાજયભરના પોલીસ તંત્રમાં બદલીની વ્‍યાપક ચર્ચાઓ

રાજકોટઃ એ.સી.બી.ના મદદનિશ નિયામક હિંમાશુ દોશીની બદલી સુ.નગર ખાતે થયાની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે.

ગાંધીનગરના ટોચના સુત્રોના કથન મુજબ સુ.નગરના ડી.વાય.એસ.પી. શ્રી વાણંદની બદલી થતા આ જગ્‍યા ખાલી પડી છે. સુ.નગર પંથકના લીંબડીની પેટા ચુંટણી ધ્‍યાને લઇ આ જગ્‍યા ખાલી ન રાખી શકાય તેવા કારણોસર પોલીસ તંત્રના બહોળા અનુભવી હિંમાશુ દોશીની પસંદગી થયાનું ચર્ચાય છે.

રાજકોટ એ.સી.બી.ના મદદનિશ નિયામક હિંમાશુ દોશીની બદલીથી ખાલી પડેલ જગ્‍યાએ ભૂતકાળમાં રાજકોટ એ.સી.બી.માં પ્રસંશનીય ફરજ બજાવનાર એ. પી. જાડેજાને મુકતો હુકમ થયાની પણ સુત્રો જણાવે છે.

જામનગરના ડી.વાય.એસ.પી. એ. પી.  જાડેજાની બદલી રાજકોટ થયા બાદ જામનગરની ખાલીપડેલ જગ્‍યા પર આઇ.પી.એસ. કક્ષાના અધિકારીને મુકવામાં આવ્‍યાની ચર્ચાએ પણ જોર પકડેલ છે.

ગુપ્ત બદલીઓ બાબતે પોલીસ તંત્રમાં અનેકવિધ અનુમાનો વિવિધ અટકળો ચાલી રહી છે.

(11:16 pm IST)