ગુજરાત
News of Tuesday, 29th September 2020

વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્‍વયે આદર્શ આચાર સંહિતા આજથી અમલી : કપરાડા, ડાંગ, કરજણ, ગઢડા, ધારી, મોરબી, લીંબડી, અબડાસામાં પેટા ચૂંટણી થશે

ગાંધીનગર : વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અનવયે આદર્શ આચાર સંહિતા આજથી અમલી બની છે. ગુજરાતના કપરાડા, ડાંગ, કરજણ, ગઢડા, ધારી, મોરબી, લીંબડી, અબડાસામાં પેટા ચૂંટણી થશે.

આ અંગેનીવધુ વિગતો જોઇઅે તો ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૦૧- અબડાસા, ૬૧- લીંબડી, 9૬૫- મોરબી, ૯૪- ધારી, ૧૦૬- ગઢડા(અ.જા.), ૧૪૭-કરજણ, ૧૭૩- ડાંગ(અ.જ.જા.) તથા ૧૮૧- કપરાડા(અ,જ.જા.) વિધાનસભા મતવિભાગની પેટા- ચૂંટણી તા.૨૯/૦૯/૨૦૨૦ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની કેટલીક બાબતો ૦૧-અબડાસા,  ૬૧- લીંબડી, ૬૫- મોરબી, ૯૪-- ધારી, ૧૦૬- ગઢડા(અ.જા.), ૧૪૭-કરજણ, ૧૭૩- ડાંગ(અ.જ.જા.) તથા ૧૮૧-  કપરાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે તે જિલ્લાના સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં અમલમાં આવે છે, જ્યારે કેટલીક બાબતોનો અમલ ઉપર્યુક્ત જિલ્લાઓના વિધાનસભા મતવિસ્તાર પૂરતો જ કરવાનો છે.

ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો/બચાવ કામો, દુકાળ/પુર દરમિયાન પીવાના પાણીના કામો, પાતાળ કુવાના ખોદકામ, ઘાસચારો, કૃષિ સહાય, ખેડૂતોને સબસીડી, નવા વિકાસલક્ષી કામો (શ્રમ આધારિત કે નાણાકીય લાબો), એમ.પી.- એલ.એ.ડી., એમ.એલ.એ અને એમ.એલ.સીં.-એલ.એ.ડી. હેઠળના કામો, નવા પ્રકલ્પો, કાર્યક્રમો,' રાહત કે નાણાકીય ગ્રાન્ટ ફાળવણીની શરૂઆત કે જાહેરાત, ખાનગી મિલકતોનું ડિફેસમેન્ટ કે સરકારી મિલકતનો પ્રચાર માટે.ઉપયોગ વગેરે બાબતો પ્રત્વેની _ ભારતના ચૂંટણી પંચની હાલમાં અમલી સૂચનાઓ આ પેટ! ચૂંટણી પ્રસંગ પૂરતી, ૦૧-અબડાસા, 9૬૧-લીબડી, ૬પ-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા(અ.જા.), ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) તથા ૧૮૧- કપરાડા(અ.જ.જા.) વિધાનસભા  મતવિભાગ પૂરતી મર્યાદિત રહેશે, જે તે વિધાનસભા મતવિસ્તારના સમગ્ર જિલ્લાને લાગુ પડશે નહીં. તે જ રીતે ભારતના ચૂંટણી . આયોગની સૂચનાઓ અન્વયે પેટા ચૂંટણી હેઠળના ઉક્ત મતવિસ્તાર સિવાયના તે જિલ્લાના બાકીના ભાગમાં વિકાસના કામો  કરવામાં કે રાહત કાર્યો કરવામાં આચારસંહિતા બાધરૂપ રહેશે નહીં એટલે કે પેટા ચૂંટણી હેઠળના મતવિસ્તાર સિવાયના જિલ્લાના બાકીના ભાગોમાં વિકાસના કામો તથા રાહતના કામો આચાર સંહિતા દરમિયાન પણ ચાલુ રાખી શકાશે. વધુમાં ઉક્ત જિલ્લાના જે  ભાગમાં ચૂંટણી યોજાવાની નથી તે ભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલ હોય તે સિવાયના અધિકારીઓ/કર્મચારીઓની બદલી બાબતે આચાર સંહિત! બાધરૂપ રહેશે નહીં. ર અલબત્ત, ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચાર સંહિતા સંબંધી પ્રવર્તમાન સૂચનાઓ જેવી કે. મંત્રીશ્રીઓના પ્રવાસ, વાહનો, સરકારી ખર્ચે જાહેરાત-ઉદ્ઘાટન સમારંભો/સરકારી સમારંભો, સરકારી અતિથિ ગૃહોનો ઉપયોગ,નવી યોજનાની જાહેરાત અને ઉપરના ફકરામાં સિવાયની આદર્શ આચાર સંહિતા અંગેની તમામ પ્રવર્તમાન સૂચનાઓ ઉક્ત વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે, તે સમગ્ર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, વડોદરા, ડાંગ અને વલસાડ જિલ્‍લાઓને લાગુ પડશે.

આ સૂચનાઓનો રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભ । હિસ્સો હોય તેવી તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્‍સો હોય તેવી તમામ  સંસ્થાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું અ સંહિતા તેમજ મુક્ત અને  અધિકારીશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/ચૂંટણી અધિકારીશ્રી કાર્યવાહી હાથ ધરશે. ચુસ્તપણે અમલ કરવા સર્વેને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનઓનો આ પેટા ચૂંટણીમાં ચુસ્‍તપણે અમલ કરવા સર્વેને વિનંતી કરવામાં આવે છે.

(9:58 pm IST)