ગુજરાત
News of Tuesday, 29th September 2020

આણંદ નજીક હાડગુડમાં એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર

આણંદ:નજીક આવેલા હાડગુડ ગામે મળસ્કે ત્રાટકેલા તસ્કરોએ ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હજી સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ થવા પામી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર હાડગુડની આશીયાના સોસાયટીમાં રહેતા સઈદાબાનુ ઝાકીરઅલી સૈયદના પિતાનું અવસાન થતાં ગઈકાલે તેઓ પોતાના મકાનને તાળુ મારીને પિતાને ઘરે ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ તેમના મકાનનો નકુચો તોડી નાંખીને અંદર પ્રવેશ કરી બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને રોકડા ૪૦ હજાર તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. તસ્કરોએ નજીકમાં રહેતા અશોકભાઈ અને આરીફઅલીના મકાનોને પણ નિશાન બનાવીને ત્યાંથી પણ લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:26 pm IST)