ગુજરાત
News of Wednesday, 29th August 2018

અલ્પેશ કથિરિયાને મળવા જેલ ગયા દિલિપસાબવા : જેલ તંત્રએ મળવા દેવા કર્યો ઇન્કાર

સુરત :પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે, ત્યારે તેને મળવા માટે પાટીદાર અનામત સમિતિના કન્વીનર દિલીપ સાબવા અને અન્ય PAASના સભ્યો જેલ ગયા હતા. પરંતુ જેલ પ્રશાસન દ્વારા કોઈને અલ્પેશ કથિરીયાને મળવા દેવામાં આવ્યા નહોતા અને દિલીપ સાબવા સહિત કાર્યકરોને અલ્પેશને મળવા વગર જ પાછું આવવું પડ્યું હતું.

(7:51 pm IST)