News of Wednesday, 29th August 2018
અમદાવાદના આવાસ યોજના રહીશો દ્વારા ચક્કાજામ :ભ્રષ્ટ્રાચારનો આરોપ :પોલીસનો હળવો લાઠીચાર્જ
અમદાવાદઃ ઓઢવમાં 20 વર્ષ જૂની ગરીબ આવાસ યોજાનાનું મકાન ઘરાશાયી થવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગરીબ આવાસ યોજનાના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું.
વૈકલ્પિક વ્યવસ્થા ન થતા લોકો દ્વારા આંલોદન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો
બીજીતરફ રસ્તા રોકવાને કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પર કર્યો હતો. ત્યારબાદ પોલીસે મહિલાઓની પણ અટકાયત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
(9:48 pm IST)