News of Wednesday, 29th August 2018
અમદાવાદમાં નિર્ણયનગરમાં વીજ કરંટ લાગતા બે મજૂરોના મોત
અમદાવાદઃ નિર્ણયનગરમાં આવેલી દિવાળીબાનગર સોસાયટીમાં કરંટ લાગતાં બે મજૂરોનાં મોત થયા છે. બન્ને મજૂરો લાઈટના પોલ ઉભા કરવા AMC દ્વારા ખોદકામની કામગીરી કરાઈ રહી હતી તે દરમિયાન જમીનમાંથી પસાર થતા ટોરોન્ટ પાવરના હાઈવેલ્ટેજ કેબલને અડતા મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગણપતભાઈ દ્વારા AMCના કામનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો અને આ બે મજૂરોને કામે મુક્યા હતા. આ બન્ને મજૂરોએ સેફ્ટીના કોઈ પણ સાધનો પહેર્યા ન હતા. જે વખતે ઘટના બની તે વખતે કોન્ટ્રાક્ટર ગણપતભાઈ હાજર ન હતા. હાલ તો પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:51 pm IST)