ગુજરાત
News of Wednesday, 29th August 2018

હાર્દિક પટેલે ઉપવાસના ચોથો દિવસ ;સાંજે રામધૂનમાં સમર્થકો જોડાયા

 

અમદાવાદ :પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવા મુદ્દે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે. આજે તેના ઉપવાસનો ચોથો દિવસે  સાંજના સમયે તેણે રામધૂન કરી હતી. હાર્દિકને મળવા આવતા અને તેના સમર્થકો રામધૂનમાં જોડાયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસના 4 દિવસ થઈ ગયા છે.હાર્દિકની માગણી તો સ્પષ્ટ છે પરંતુ સરકાર હજુ મામલાને પોતાની નજરમાં લાવી નથી. અને હાર્દિકના ઉપવાસને લઈને કોઈ સ્પષ્ટતા પણ કરી નથી.

(9:52 pm IST)