વડોદરાના ન્યૂવીઆઈપી રોડ નજીક સાળંગપુર દર્શને ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.29 લાખની મતાની તસ્કરી કરી ગઠિયો છૂમંતર....
વડોદરા:શહેરના ન્યુવીઆઇપીરોડ પરની સોસાયટીમાં સાળંગપુર દર્શન માટે ગયેલા વેપારીના ઘરને નિશાન બનાવી ત્રાટકેલા ચોરો ઘરમાંથી રૃા.૪.૨૯ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. ચોરોએ દંતેશ્વરમાં પણ એક મકાનમાંથી બે લાખની ચોરી કરી હતી.
ન્યુવીઆઇપીરોડ પર ખોડિયારનગર પાસે વીરાવિલાસ સોસાયટીમાં રહેતા હિતેશ કિશનભાઇ જસવાણી હોઝિયરીનો વેપાર કરે છે. તા.૨૪ના રોજ બપોરે તેઓ પરિવારના સભ્યો સાથે ઘર બંધ કરીને સાળંગપુર ખાતે દર્શન માટે ગયા હતાં. બીજા દિવસે તેઓ ઘેર પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. રસોડાની પાછળના દરવાજામાંથી ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળે મૂકેલી તિજોરીમાંથી સોનાના દાગીના, ચાંદીનો સિક્કો, રોકડ રૃા.૪૦ હજાર મળી કુલ રૃા.૪.૨૯ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે હિતેશભાઇએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.