ગુજરાત
News of Wednesday, 29th June 2022

ચિત્રાવાડી ગામે આવેલી વિધવા મહિલાની જમીન પચાવી પાડવા બાબતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

 (ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામમાં આવેલી વિધવાની જમીન પચાવી પાડનાર શખ્સ સામે મહિલાએ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષાબેન શીવનંદન અયોધ્યા પ્રસાદ પટેલની વિધવા પત્ની( રહે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સામે મનન આશ્રમ રોડ,ઝાડેશ્વર, ભરૂચ )તથા તેમની બંન્ને દિકરીઓની ચિત્રાવાડી તા.નાંદોદના સર્વે નંબર -૩૨૦ વાળી જમીન જેના ખાતા નં .૧૩૭ અને જુનો સર્વે નંબર ૧૩૧ આવેલ છે જે જમીન કાયદેસર તેમના કબ્જા ભોગવટાની અને સંપૂર્ણ દેખરેખવાળી ખેતીની જમીન આવેલ હોય તેમના પતિ મૃત્યુ પામ્યા હોય તેમજ બંન્ને દિકરીઓના લગ્ન થઇ જતા તેમની સાસરીમાં રહેતી હોય તેઓ વયોવૃધ્ધ અને એકલવાયુ જીવન ભરૂચ ખાતે રહીને જીવતા હોય આ જમીન ચિત્રાવાડી ખાતે દુરના સ્થળે હોવાથી જેનો લાભ લઇ રાજપીપળા માં રહેતા નયન બિહારી ભૈયા આ જમીનમાં પ્રવેશ કરી જમીનનો ગેરકાયદેસર કબ્જો રાખી જમીન પચાવી પાડી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:41 pm IST)