અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક જીપ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતઃ બંને બાઇક સવારના ઘટના સ્થળે મોત
બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયાઃ પોલીસે ગુન્હો નોંધી ફરાર જીપ ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ નજીક જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંને બાઇક સવાર યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં જીપ ચાલક પાંચ લોકોને હડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. મરનાર બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસે ગુન્હો નોંધી જીપ ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
શહેરની કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંન્ને બાઇક સવારોનાં મોત નિપજ્યાં છે. કુલ 5 લોકોના અકસ્માત કરીને ભાગી ગયા હોવાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે થાર ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
હાલ તો પોલીસ દ્વારા આ અકસ્માતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હીટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. એમ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે.