ગુજરાત
News of Saturday, 29th June 2019

ધાનેરામાં રાયડાની ખરીદીમાં ગેરરીતિનો આરોપ :ખેડૂતોને બોલાવી અધિકારીઓ ગાયબ : હોબાળો

ખેડૂતોનો રાયડો નહિ ભરાતા હાઇવે પર ચક્કાજામ કર્યો

ધાનેરાના ખેડૂતોએ રાયડા ખરીદીમાં થતી ગેરરીતિના આક્ષેપ સાથે ચક્કાજામ કર્યો હતો. હજારો મુસાફર સહિત એમ્બ્યુલન્સ પણ ચક્કાજામમાં ફસાઈ હતી. પુરવઠા વિભાગે એસએમએસ કરીને ખેડૂતોને બોલાવ્યા હતા. જોકે ખેડૂતો આવી ગયા પરંતુ અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા. ખેડૂતોનો રાયડો ભરાયો ન હતો જેને લઈને ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો

  .જોકે ધાનેરા પોલીસે ખેડૂતોને સમજાવવાના અથાગ પ્રયત્ન કરવા છતાં ખેડૂતોનો ગુસ્સો શાંત થયો ન હતો. છેવટે ધાનેરાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોને ખરીદીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

(11:04 pm IST)