News of Saturday, 29th June 2019
રાજ્યના દિવ્યાંગોને પેન્શનનો જોગવાઈ કરાઈ તેવી શકયતા
આગામી બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા જાહેરાત થવા સંભવ
અમદાવાદ :આગામી બજેટમાં દિવ્યાંગો માટે સારા સમાચાર આવી શકે છે રાજ્યના દિવ્યાંગો જે 40 ટકાથી 80 ટકા જેટલી વિકલાંગતા ધરાવતા હોય તેઓને રાજ્ય સરકાર પેન્શન આપી શકે છે. આગામી બજેટ સત્રમાં આ અંગેની જોગવાઇ કરાય તેવી શકયતા છે.
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગોને આ લાભ આપવામાં આવી શકે છે. આ અંગે આગામી બજેટ સત્રમાં નાણા પ્રધાન દ્વારા જાહેરાત કરાઇ તેવી પણ માહિતી સુત્રો તરફથી મળી છે.
(9:47 pm IST)