ગુજરાત
News of Saturday, 29th June 2019

રાજ્યના દિવ્યાંગોને પેન્શનનો જોગવાઈ કરાઈ તેવી શકયતા

આગામી બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા જાહેરાત થવા સંભવ

 

અમદાવાદ :આગામી બજેટમાં દિવ્યાંગો માટે સારા સમાચાર આવી શકે છે રાજ્યના દિવ્યાંગો જે 40 ટકાથી 80 ટકા જેટલી વિકલાંગતા ધરાવતા હોય તેઓને રાજ્ય સરકાર પેન્શન આપી શકે છે. આગામી બજેટ સત્રમાં અંગેની જોગવાઇ કરાય તેવી શકયતા છે.

 સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગોને લાભ આપવામાં આવી શકે છે. અંગે આગામી બજેટ સત્રમાં નાણા પ્રધાન દ્વારા જાહેરાત કરાઇ તેવી પણ માહિતી સુત્રો તરફથી મળી છે.

(9:47 pm IST)