ગુજરાત
News of Friday, 29th June 2018

સુરતના પરવત પાટિયા નજીક નવજાત બાળકને બેરહેમી પૂર્વક ફેંકી જનેતા ફરાર થઇ જતા અરેરાટી

સુરતઃ પરવત પાટીયા વિસ્તારમાંથી મૃત હાલતમાં નવજાત શિશું મળી આવ્યું હતું.તાજા જન્મેલા શિશુને કોઈએ સ્વામી વિવેકાનંદ સ્કૂલ સામે કચરા પેટી નજીક બેરહેમીપૂર્વક ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

પરવત પાટીયા વિસ્તારમાંથી સ્થાનિકોએ મૃત નવજાત બાળકને રસ્તા પર પડેલું જોયું હતું. જેથી પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, તાજા જન્મેલા બાળકને ત્યજી દેતા એક માતાની કેવી રીતે હિંમત ચાલી હશે તે વાતે સ્થાનિકો ફિટકાર વરસાતા હતાં. પોલીસે મૃત નવજાત માતાની અને તેને જન્મતાવેંત કેમ છોડવું પડ્યું તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

(6:07 pm IST)