News of Friday, 29th June 2018
હાલ એકપણ સિસ્ટમ્સ સૌરાષ્ટ્રને સપોર્ટ કરતી નથીઃ ૮૦થી ૯૦% વિસ્તારો કોરાકાટ
રાજકોટ : દેશભરમાં ચોમાસાએ વેગ પકડયુ છે ત્યારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં હજુ જોઈએ તેવી અસર દેખાતી નથી. લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે ત્યારે હાલની પરિસ્થિતિમાં એકપણ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતને અસરકર્તા નથી. સિવાય કે કોઈ - કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસી જાય. હજુ પણ ૮૦ થી ૯૦% વિસ્તારો કોરા છે ચારેક દિવસમાં વાતાવરણ સુધરે તેવો અનુમાન છે.
(10:44 am IST)