કાલથી મહામના એક્સપ્રેસ શરુ :અમદાવાદ અને રાજકોટને થશે ફાયદો
વીકલી ટ્રેન ઈન્દૌર-અમદાવાદ-વેરાવળના રુટ પર દોડશે:લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન લીલીઝંડી બતાવશે
અમદાવાદ :ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. આવતીકાલથી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલીઝંડી બતાવાશે. મહામના એક્સપ્રેસ નામની આ વીકલી ટ્રેન ઈન્દૌર-અમદાવાદ-વેરાવળના રુટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દૌરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે જ ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દૌર પહોંચશે.
આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે સાથે સુરેન્દ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં ઉભી રહેશે. આમ રાજકોટ અને અમદાવાદને પણ સીધો ફાયદો થશે. આ વિકલી ટ્રેન મંગળવારે રાત્રે ૧૦.૨૫ વાગ્યે ટ્રેન ઈન્દૌરથી ઉપડશે અને બુધવારે સવારે ૮.૨૫ કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે ૮.૪૫ કલાકે ઉપડશે અને સાંજે ૫.૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. ગુરુવારે ૬ વાગ્યે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને શુક્રવારે સવારે ૪.૪૫ કલાકે ઈન્દૌર પહોંચશે. ઈન્દૌર-જુનાગઢ પૂરી-ઈન્દૌર અને ઈન્દૌર-હૈદરાબાદ-ઈન્દનૌર હમસફર એક્સપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દૌરથી શરુ થશે. ૧૬ કોચની આ ટ્રેનમાં ૭ સ્લીપર કો, બે એસી-૩, એક એસી-૨ અને નજરલ કોટ અને બે સીટીંગ કમ લગેજ કોચ હશે.