ગુજરાત
News of Friday, 29th June 2018

દેશના હિતની વાતમાં કોંગ્રેસ ક્યારેય રાજકારણ કરતુ નથી :કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે :અહમદ પટેલ

ભરૂચ :કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દે ભારતીય જવાનોની કામગીરીની સરાહના કરી હતી.અહેમદ પટેલે જણાવ્યું કે, દેશહિતની વાત હોય ત્યારે તેમણે ક્યારેય રાજનીતિ નથી કરી. જ્યારે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે પણ તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયની તરફેણ કરી હતી

 કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને ત્યાં આતંકવાદ ખતમ કરવા સરકાર દ્વારા હજુ પણ વધુ કામગીરી કરવામાં આવે તેવી માંગણી અહેમદ પટેલે કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રાણાના અભિવાદન સમારોહમાં અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(1:10 am IST)