News of Sunday, 29th May 2022
અમદાવાદના વિદ્યાસહાયક ઉમેદવારોએ ભરતી મામલે ઇસ્કોન મંદિરમાં ભગવાન સમક્ષ રજૂ કરી લેખિત અરજી
ઉમેદવારોએ ઈસ્કોન મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ અને શ્રીનાથજીના ચરણોમાં લેખિત અરજી મુકી
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં વિદ્યાસહાયક ઉમેદવારોએ ભરતી મુદ્દે ભગવાન સમક્ષ લેખિત અરજી રજૂ કરી હતી
વિદ્યાસહાયક ઉમેદવારો ગુજરાતના તમામ 33 જિલ્લામાં પદયાત્રા કરી ધાર્મિક સ્થળોએ ભગવાનને આવેદનપત્ર પાઠવી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઈસ્કોન મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ અને શ્રીનાથજીના ચરણોમાં લેખિત અરજી મુકી.
વિદ્યાસહાયક ઉમેદવારોએ અરજ કરી કે જેમ ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના યુધ્ધમાં અર્જુનની વહારે આવ્યા હતા તેમ શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણી બેરોજગાર વિદ્યાસહાયકોની વહારે આવી નવી ભરતીની ઝડપી જાહેરાત કરે.
(11:35 pm IST)