ગુજરાત
News of Sunday, 29th May 2022

રાજકોટમાં PGVCL ભરતી પરીક્ષા મામલે એડી.જનરલ મેનેજરએ કર્યો મોટો ખુલાસો

અમારી પાસે તમામ પ્રક્રિયાના રેકોર્ડિગ છે. પેપર કોઈપણ રીતે ફુટ્યું નથી અને આજે યોજાયેલી PGVCLની પરીક્ષામાં કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ.

અમદાવાદ :  PGVCLની પરીક્ષાનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ પર બોલ્યા એડી.જનરલ મેનેજરે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમમે જણાવ્યું કે, પેપર પ્રિન્ટીંગ બાદ મશીનથી સીલ થતું હોય છે અને પેપરનું બોક્સ સીલ જ હતું અને બ્લોકમાં ગયા ત્યારે પણ પેપર સીલ જ હતા. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, અમારી પાસે તમામ પ્રક્રિયાના રેકોર્ડિગ છે. પેપર કોઈપણ રીતે ફુટ્યું નથી અને આજે યોજાયેલી PGVCLની પરીક્ષામાં કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ.   

(6:35 pm IST)