ગુજરાત
News of Friday, 29th May 2020

ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર કરે તે આવકાર્ય : સરકાર સાથેના એમઓયુ મુજબ જ કામ કરેઃ નહિ તો કાયદેસર કાર્યવાહી : જસ્ટીસ પારડીવાલા

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ પારડીવાલાએ કહ્યું કે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓની સારવાર કરે છે તે જાણીને અમને આનંદ થયો. આ હોસ્પિટલોએ એમઓયુમાં લખાયેલી શરતોનું પાલન કરવુ઼ જ પડશે. કોરોના દર્દીઓ સાથે હોસ્પિટલ ચાર્જ બાબતે ખાનગી હોસ્પિટલો રી-નેગોશીયેશન્સ (પુનઃ ભાવતાલ) નહીં કરી શકે. જો કોઇ હોસ્પિટલ વધારાના ચાર્જ લેતા અથવા એમઓયુનું ઉલ્લંધન કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:12 pm IST)