ગુજરાત
News of Wednesday, 29th May 2019

કાંકરેજના બુકોલી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ધીંગાણું : મારામારીમાં એકનું મોત

સમાધાન માટે વાત કરવામાં આવતા ઉશ્કેરાટ ફેલાયો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામે રહેતા 55 વર્ષીય સોલંકી વાલજીભાઈ વિરસંગજી પોતાના ખેતરમાં જવાના રસ્તે બાઈક લઈ નીકળતા તેમના કૌટુંબિક ભાઈઓને દરવાજો બંધ કરી નીકળવાનું કહેતા તકરાર થઇ હતી. બાદમાં ભાઈઓ દ્વારા લગ્નમાં સમાધાન માટેની વાત કરવામાં આવી હતી. જેને લીધે સામા પક્ષવાળા લોકો ઉશ્કેરાઈ જઈ આમને સામને આવી ગયા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં મૃતક વાલજીભાઈને માથામાં કપાળે ઇજા પહોંચી હતી આથી તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

 આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વાલજીભાઈના મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલમાં પી.એમ.માટે લવાયો હતો. આથી મૃતકના વાલી વારસો શિહોરી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

(9:22 pm IST)