પતિના ત્રાસથી કંટાળી પેટલાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
પેટલાદ:ના મિલ્લતનગર ખાતે રહેતી એક પરિણીતાએ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને ઉધઈ મારવાની દવા પી જઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ત્રણોલ ગામે રહેતા ફરિયાદી સીકંદભાઈ અબ્દુલભાઈ વોરાની પુત્રી કરિશ્માબેનના લગ્ન ૨૦૧૩માં પેટલાદના મિલ્લતનગર ખાતે રહેતા એજાજ ઈબ્રાહીમભાઈ વોરા સાથે થયા હતા. શરૂનુ એક વર્ષ સુખરૂપ ચાલ્યું હતુ જે દરમ્યાન એક સંતાન પ્રાપ્તી થઈ હતી. પરંતુ ત્યારબાદ પતિ દ્વારા પત્નીને નાની નાની બાબતોએ મેણાં મારીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેને લઈને પરિણીતા રીસાઈને પોતાના પિયર જતી રહેતી હતી. પરંતુ સીકંદભાઈ પોતાની પુત્રીનું લગ્નજીવન બરબાદ ના થાય તે માટે તેણીને સમજાવીને પરત સાસરીએ મોકલી આપતા હતા.
સાસરે ગયા બાદ ફરીથી પતિ દ્વારા ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દેવાતો હતો. જેથી આખરે કંટાળી જઈને પરિણીતાએ ગત ૨૭મી તારીખના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે ઉધઈ મારવાની દવા પી લીઘી હતી જેથી તેણીને તુરંત જ પેટલાદની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.