News of Saturday, 29th January 2022
નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૧ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૬, ગરુડેશ્વર તાલુકામાં ૦૩, દેડીયાપાડા તાલુકામાં ૦૩, સાગબારા તાલુકામાં ૦૫ તથા તિલકવાડા તાલુકામાં ૦૦ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૧૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૨ દર્દી સારવાર હેઠળ દાખલ છે,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૮૯ દર્દી દાખલ છે. આજે વધુ ૧૨૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(11:10 pm IST)